સોમવાર, 25 મે, 2020

સુવિચાર દ્વારા સ્વામી વિવેકાનંદના વિચાર

સ્વામી વિવેકાનંદ વિશે,About Swami Vivekananda
સ્વામી વિવેકાનંદનો
જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રેસિડેન્સીના કલકત્તામાં ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાંં આવ્યુ હતુંં. તેઓ શાળાના દિવસોથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.

સ્વામી વિવેકાનંદનો પરિવાર: તેમનાા પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા અને સામાજિક અને ધાર્મીક બાબતોમાંં તેમની ગણના પ્રગતિશીલ વ્યકતિમાં થતિ. તેમની માતા ભુનેશ્વરી દેવિ પવિત્ર સ્ત્રી હતા. 

સ્વામી વિવેકાનંદના ઉછેરમાં બૌધ્ધિક પિતા અને ધાર્મીક માતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આથી શરૂઆતથી જ તેમની વૃત્તિ આધ્યાત્મિકતા તરફની હતી. તેઓ તેમની માતાનું એક વાક્ય કેહતા કે 
સ્વ માટે સ્વામી વિવેકાનંદના,Swami Vivekanada Quote on yourself


સ્વામી વિવેકાનંદના ગુરુ: તેઓ તેમના ગુરુરામકૃષ્ણથી ખૂબ પ્રભાવિત હતા. ગુરુના માર્ગદર્શન નીચેની તાલીમ દરમ્યાન, નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. તેમણે જાણ્યું કે બધા જીવો એ દૈવી સ્વયંનું મૂર્ત સ્વરૂપ છે અને માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે

સ્વામી વિવેકાનંદે ૧૮૯૭ માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. પશ્ચિમ વિશ્વમાં ભારતિય વેદાંત અને યોગ નો પ્રચાર કરવામાં તેમનો મહત્વનો ફાળો છે. ૧૯ મી સદીના અંત ભાગ દરમિયાન સ્વામી વિવેકાનંદે આંતરરાષ્ટ્રીય સંબંધ અંગે જાગૃતિ લાવી અને હિન્દુ ધર્મને એક મોટા વિશ્વ ધર્મની સ્થિતિમાં લાવ્યા.તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં ૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની શરૂઆત " અમેરિકાના બહેનો અને ભાઇઓ..." કરી અને ભારતનેે સમગ્ર દુનિયા સામેે મજબુત રિતે રજુ કર્યુુુ. 

સ્વામી વિવેકાનંદે પશ્ચિમ દેશોમાં હિન્દુ ધમૅનો પ્રચાર કરિ ભારત ના મહાન હિન્દુ સાધુ તરિકે પ્રસિધ્ધી મેળવી છે. તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. 

ચાલો આપણે સ્વામી વિવેકાનંંદના સુવિચાર જોઈએ જે મનુષ્યના જીવનમાં ઉત્સાહ અને આનંદ લાવી સફળતા મેળવવા માટે ઉપયોગી થાશે.
ઉઠો, જાગો અને ધ્યેય 
પ્રાપ્તિ સુધિ મંડ્યા રહો.
સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રખ્યાત સુવિચાર,Famous Swami Vivekananda Quotes
પરાધીનતા દુ:ખ છે, સ્વાધીનતા સુખ છે.
સ્વાધિનતા પર સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekanada Quote for Independence
જેની પાસે શ્રેષ્ઠ વિચાર હોય છે તે 
ક્યારેય એકલો રહી શકતો નથી.
સ્વામી વિવેકાનંદનો શ્રેષ્ઠ સુવિચાર,Swami Vivekananda Best Quotes
નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે.
નિષ્ફળતા પર સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekanada suvichar on Failure
સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે. 
તેને સ્વીકારો.
ગુજરાતિમાં સ્વામી વિવેકાનંના સુવિચાર,Swami Vivekanada Quote in Gujarati
એક સારા ચરિત્ર નું નિમાર્ણ 
હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.

સ્વામી વિવેકાનંદનો લાક્ષણિકતા પર સુવિચાર,Swami Vivekananda Quotes on Attribute
દુનિયા તમને એ સમય સુધિ 
ક્યારેય હરાવિ નથી શકતી, 
જ્યાં સુધિ તમે ખુદ 
તમારાથી હારી ન જાવ.

સફળતા માટે સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekanada Quote for success
ઈચ્છાશક્તિ દ્વારા 
સઘળું કાર્ય સિદ્ધ થઇ શકે છે.
સ્વામી વિવેકાનંદનો પ્રેરણદાયી સુવિચાર,Swami Vivekananda Motivational Quotes
જીવીએ ત્યાં સુધી શીખીએ.
ખરાબ વિચારો ભૈતિક દ્રષ્ટિએ જોતા, 
રોગના જંતુઓ છે.

સ્વામી વિવેકાનંદનો વિચાર પર સુવિચાર,Swami Vivekanada Quote on Thinking
એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે.
સ્વામી વિવેકાનંદના ગુજરાતિ સુવિચારના ચિત્રો,Swami Vivekananda Quotes Images in Gujarati
જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે ભગવાનમાં વિશ્વાસ કરી શકતા નથી.
વિશ્વાસ પર સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekananda Quote on Faith
ધ્યાન મૂર્ખોને સંતોમાં 
ફેરવી શકે છે પરંતુ
 કમનસીબે મૂર્ખો ક્યારેય 
ધ્યાન નથી કરતા.
ધ્યાન પર સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekananda Meditation Quotes
સૌથી મોટુ પાપ એ 
વિચારવું છે કે 
તમે નબળા છો.
નબળાઈ પર સ્વામી વિવેકાનંદનો સુવિચાર,Swami Vivekanad Quote on weekness
દિવસમાં એકવાર તમારી સાથે વાત કરો, 
નહીં તો તમે આ દુનિયાની કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને મળવાનું ચૂકી શકો છો.
દિવસ માટે વિચાર,Thought for the Day by Swami Vivekananda
જાતે વિજય મેળવો અને 
આખું બ્રહ્માંડ તમારું છે.
સ્વામી વિવેકાનંદનો શક્તિશાળી સુવિચાર,Swami Vivekananda Powerful Quotes

સ્વામી વિવેકાનંદ ધાર્મિક હિન્દુ સાધુ હતા.તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિ અપનાવવા અને કર્મયોગના માર્ગ ઉપર ચાલવા વિનંતી કરી. 
જુલાઈ ૪, ૧૯૦૨ ના બેલુર મઠ ખાતે વિવેકાનંદનુ અવસાન થયુ હતુંં.

2 ટિપ્પણીઓ:

ફાધર'સ ડે ૨૦૨૦